રીવોલ્વરની અણીએ લૂંટ ચલાવી ફાઇનાન્સ કંપનીના કર્મચારીને માર માર્યો

જૂનાગઢના ખ્વાજાનગર ભંગારવાડી ગલી પાનની બાજુમા બનેલા બનાવમાં ત્રણ સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના ખ્વાજાનગર ભંગારવાડી ગલી પાનની બાજુમા મારી પાસે રીવોલ્વર છે, જો કાઇ આપીશ નહિ તો મારી નાખીશ તેવી ધમકી આપી ફાઇનાન્સ કંપનીના કર્મચારીને ઢોર માર મારીને લૂંટ ચલાવો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં ત્રણ શખ્સો સામે હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સમીર રઝાકભાઇ સેતા( ઉ.વ.૨૨ ધંધો પ્રા.નોકરી-સી.જે.ફાઇનાન્સ કંપની રહે ખ્વાજાનગર ભંગારવાડી ગલી પાનની બાજુમા જુનાગઢ) એ આરોપીઓ આદીલ રહે સુખનાથ ચોક (જુનાગઢ), કારો (રહે. સુખનાથ ચોક જુનાગઢ) તથા અજાણ્યો ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે આરોપીએ ફરીયાદીના ફળીયામા પ્રવેશ કરી ફરી સાથે બોલાચાલી ઝપાઝપી કરી જેમ ફાવે તેમ ગાળૉ કાઢી ફરીયાદીને લોખડંના પાઇપથી શરીરે આડેધડ મારમારી ફરીયાદીને વાસામા તથા હાથપગમા તથા ડાબા હાથની કોણી પાસે ઇજા કરી છરી બતાવી અને એક આરોપીએ મારી પાસે રીવોલ્વર છે અને જો કાઇ આપીશ નહિ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ફરીયાદીપાસેથી તેનો વન પ્લસ કંપનીનો મોબાઇલ ફોન તથા રોકડ રૂ.૩૦૦૦ લઇ લય ત્રણેય આરોપીઓ નાસી છૂટ્યા હતા.