જૂનાગઢ : ચેતન્યસ્વરૂપદાસજી સ્વામીનો 101 વર્ષે જીવનદીપ બુઝાયો

જૂનાગઢ : લોજધામ નિવાસી ચેતન્યસ્વરૂપદાસજી સ્વામીનો 101 વર્ષે જીવનદીપ બુઝાયો છે. આજે લોજ મુકામે ચેતન્યસ્વરૂપદાસજી સ્વામી 101 વર્ષની વયે અક્ષરનિવાસી થયા છે. આ બનાવને પગલે હજારો હરિભક્તોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમની અંતિમવિધિ આવતીકાલે તા.13 ના રોજ સવારે 10 કલાકે લોજ મુકામે રાખેલ છે. તેનું લાઈવ પ્રસારણ સ્વામિનારાયણ યુ-ટ્યુબ ચેનલ પરથી નિહાળી શકાશે. તેમ હરિપ્રકાશદાસજીની યાદીમાં જણાવાયું છે.