મારા જેઠને કેમ ચડાવે છે કહી પરિણીતા ઉપર નિર્લજ્જ હુમલો

વંથલીમાં પાડોશમાં રહેતા મહિલા સહિત પરિવારના ત્રણ વ્યક્તિઓ સામે તલવાર લઈને મારવા દોડી છેડતી કર્યાની ફરિયાદ

જૂનાગઢ : વંથલીમાં મારા જેઠને કેમ ચડાવે છે કહી પરિણીતા ત્રણ પાડોશીઓએ ઉપર નિર્લજ્જ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પાડોશમાં રહેતા મહિલા સહિત પરિવારના ત્રણ વ્યક્તિઓ સામે તલવાર લઈને મારવા દોડી છેડતી કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી શીતલબેન જીગ્નેશભાઈ વડીયાતર (ઉ.વ.ર૫ રહે.વંથલી, આંબેડકવાસ) એ આરોપીઓ વિજયભાઈ ગોવાભાઈ વાણવી, ઉષાબેન વિજયભાઈ વાણવી, રામ વિજયભાઈ વાણવી (રહે. બધા વંથલી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી મહિલાએ ફરીયાદીને કહેલ કે, મારા જેઠને કેમ ચડાવે છે તેમ કહી આરોપીઓએ ફરીયાદીને કહેલ કે, તને ચીરી નાખવી છે જીવવા દઈ નય તેમ ધમકી આપી આરોપીએ દોડીને આવી બિભત્સ શબ્દો બોલી ફરીયાદીનો હાથ પકડી છાતી ઉપર હાથ નાખવાની કોશીશ કરી છેડતી કરી એક આરોપી તલવાર લઈને મારવા દોડી ફરીયાદીના બહેન આવતા આરોપીએ બિભત્સ શબ્દો કહીને નિર્લજ્જ હુમલો કર્યો હતો.