કેશોદના નુનારડા ગામ રસોઈ બનાવતી વખતે દાઝેલી મહિલાનું મોત

જૂનાગઢ : કેશોદના નુનારડા ગામ રસોઈ બનાવતી વખતે દાઝેલી મહિલાનું મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મેણીબેન હરસુખભાઇ મકડીયા (ઉવ.૪૬ રહે.નુનારડા વણકરવાસ તા.કેશોદ) નામના મહિલા ગત તા.૨ના રોજ તા.૨૬ના રોજ ઘરે ચુલા ઉપર રસોઇ બનાવતા હોય અને ચુલા ઉપર કેરોસીન નાખી દિવાસળી ચાપતા શરીરે દાજી જતા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.