ઝાંઝરડા ગામેં ઘરે મંદીરમાં દીવાબતી કરતી વખતે દાજી જતા વૃદ્ધાનું મોત

જૂનાગઢ : જુનાગઢ તાલુકાના ઝાંઝરડા ગામેં ઘરે મંદીરમાં દીવાબતી કરતી વખતે દાજી જતા વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વિજયાબેન દેવરાજભાઇ કનેરીયા (ઉ.વ ૬૫ રહે. ઝાંઝરડા ગામ જાવીયા સ્કુલ પાસે વૃદાવન કોમ્પલેડા બ્લોક નં ૧૦૧ તા.જી જુનાગઢ) નામના વૃદ્ધા છેલ્લા પચ્ચાસેક વર્ષથી માનસીક બીમાર હોય અને ગઇ તા.૨૫ જાન્યુઆરીના રોજ પોતાના ઘરમાં આવેલ મંદીરે દીવાબતી કરી દીવાસળી નીચે ફેકતા દિવાસળી તેમની સાડી ઉપર આગ લાગવાથી દાઝી જતા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.