જુના મનદુઃખનો ખાર રાખી યુવાનને માથામાં ધારીયાના ઘા ઝિંકાયા

જૂનાગઢના ઝાલોરાપા વિસ્તારમાં કબ્રસ્તાનના ખુણા પાસે મારામારીના બનાવમાં એક સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના ઝાલોરાપા વિસ્તારમાં કબ્રસ્તાનના ખુણા પાસે જુના મનદુઃખનો ખાર રાખી યુવાનને માથામાં ધારીયાના ઘા ઝિંકાયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને એક શખ્સ સામે જીવલેણ હુમલો કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી શબ્બીરશા હુશેનશા બાનવા (ઉ.વ.૩૭ રહે.અજંટા ટોકીઝ પાસે ખાડીયા વિસ્તાર જુનાગઢ)એ આરોપી અલીશા મંજુરશા ફકીર (રહે.જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે,ગઈકાલે ઝાલોરાપા વિસ્તાર માઈ શા જી કબ્રસ્તાનના ખુણા પાસે જુનાગઢ પાસે ફરીયાદી તથા આરોપીને જુનો મનદુઃખ હોય જે મનદુઃખના રાખીને આરોપીએ ફરીયાદીને લોખંડના ધારીયા વડે માથામાં તથા ખભાના ભાગે ઈજા કરી ફરીયાદીને માથાના ભાગે ચાર પાંચ ટાંકા આવેલ તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.