બાજરાના પાકમાં જંતુનાશક દવાના છંટકાવ વખતે ઝેરી અસરથી ખેડૂતનું મોત

બાંટવાના એકલેરા ગામેં વાડી વિસ્તારમાં બનેલી ઘટના

જૂનાગઢ : બાંટવાના એકલેરા ગામેં વાડી વિસ્તારમાં બાજરાના પાકમાં જંતુનાશક દવાના છંટકાવ વખતે ઝેરી અસર થવાથી ખેડૂતનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

બાંટવા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હિરાભાઇ પુંજાભાઇ વેગડા (ઉ.વ. ૬૫ રહે. એકલેરા તા.માણાવદર) નામના ખેડુત ગત તા.૨૮ ફ્રેબ્રુઆરીના રોજ બાંટવાના એકલેરા ગામેં વાડીએ બાજરાના પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા હોય અને આ ઝેરી જંતુનાશક દવાની અસર થતા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.