જૂનાગઢમા કોરોના અદ્રશ્ય : આજે પણ શૂન્ય કેસ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોના અદ્રશ્ય થઈ ગયો છે. આજે પણ શહેર કે જિલ્લામાં એકેય નવો કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગના સતાવાર સૂત્રો મુજબ આજે શહેર કે જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. જેથી હવે જૂનાગઢ જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. આજના દિવસે જૂનાગઢ જિલ્લામાં 3808 દર્દીઓની આરોગ્ય તપાસણી કરી સ્વાસ્થ્ય વર્ધક દવા આપવામાં આવી હતી અને કુલ 2981 દર્દીઓને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરાયા હતા.