ભેસાણના મેંદપરા ગામે વિચારોના આવેગને કારણે સગીરનો આપઘાત

જૂનાગઢ : ભેસાણના મેંદપરા ગામે વિચારોના આવેગમાં આવી જતા સગીરે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કેવલભાઇ દિનેશભાઇ ભાષા (ઉવ ૧૭ રહે.મેંદપરા તા.ભેસાણ) નામના સગીરે ગત તા.૨૫ ફ્રેબુ5ના રોજ કોઇ એવા વિચારોના આવેગમાં આવી અગમ્ય કારણોસર પોતાની મેળે ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.