ભવનાથમાં સાધુના અખાડામાં વગર વાંકે રાજકોટના યુવાન ઉપર ખૂની હુમલો

સાધુના શિષ્ય ગણાતા અજાણ્યા શખ્સે કુહાડીના ઘા ઝીકયા

જૂનાગઢ : ભવનાથ તળેટી ખાતે હાલ ચાલી રહેલા મહાશિવરાત્રીના મેળા દરમિયાન ભવનાથમાં સાધુના અખાડામાં વગર વાંકે રાજકોટના યુવાન ઉપર ખૂની હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં સાધુના શિષ્ય ગણાતા અજાણ્યા શખ્સે આ યુવાનના માથા ઉપર કુહાડીના ઘા ઝીકયા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

ભવનાથ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર પાર્થભાઇ ચંદુભાઇ ચૌહાણ (ઉ.વ.૨૫ રહે. ‘મિત્રુમાશીમ’ રામનગર પી.ડી. સેમ કોલેજ પાસે ગોંડલ રોડ રાજકોટ) એ આરોપી તરીકે એક અજાણ્યો ઇસમ ઉ.વ. આશરે ૩૦ સાધુનો શીષ્ય સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૭ના રોજ વડલી ચોક પાસે પ્રથમ સાધુના મંડપ અખાડામાં ભવનાથ ખાતે આરોપીએ કોઇપણ કારણ વગર ફરીયાદીના મિત્ર હાર્દીકભાઇ કમ્લાભાઇ પંડ્યા (ઉ.વ ૩૫ રહે.રાજકોટ)ને માથાના પાછળના ભાગે કુહાડીએથી મારી નાખવાના ઇરાદે જીવલેણ ઘા મારી ગંભીર ઇજા કરતા આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે અને આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે

.