ઇન્દ્રભારતી બાપુના આશ્રમની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જૂનાગઢ : જૂનાગઢ ખાતે શિવરાત્રી મેળામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભવનાથ તળેટીમાં વિવિધ આશ્રમોની મુલાકાત અન્વયે શ્રી રૂદ્રેશ્વર જાગીર, ઇન્દ્રભારતી બાપુના આશ્રમની મુલાકાત લઈ ભાવવિભોર બન્યા હતાં

મુખ્યમંત્રી આશ્રમ ખાતે પધારતા ઇન્દ્રભારતી બાપુ દ્વારા તેઓનું શાલ અને ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ અહીં ગાદીપતિ મહારાજ નિજ મંદિરની મુલાકત લઈ દર્શનનો લાભ લીધો હતો. મહંત ઇન્દ્ર ભારતીબાપુએ મુખ્યમંત્રી સહીત સર્વે મહાનુભાઓને રુદ્રાક્ષની કંઠી પહેરાવી આશીર્વચન પાઠવ્યા હતાં.

ઇન્દ્રભારતી બાપુના આશ્રમની મુલાકાત પ્રસંગે મુખ્યમંત્રી સાથે ઉધોગ વન અને પર્યાવરણ મંત્રી જગદીશભાઇ પંચાલ, પશુપાલન રાજયમંત્રી દેવાભાઇ માલમ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મેયર ગીતાબેન પરમાર, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ઞોરધનભાઈ ઝડફિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઇ શર્મા, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા જિલ્લા સહકારી બેન્કના ડિરેક્ટર દિનેશભાઇ ખટારીયા, સહિતના અગ્રણીઓ જોડાયા હતાં.