ચોરવાડમાં બીમારીથી કંટાળી વૃદ્ધાએ વખ ઘોળ્યું

જૂનાગઢ : ચોરવાડમાં રહેતા વૃદ્ધાએ બીમારીથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી જઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર બેનાબેન વરજાંગભાઇ પરમાર (ઉ.વ.૬૦ રહે.ચોરવાડ) નામના વૃદ્ધા છેલ્લા દશ વર્ષથી બીમાર હોય અને બીમારીથી કંટાળી બીમારી સબબ ગઈકાલે ચોરવાડ ચુનાની ભઠ્ઠી વિસ્તારમાં ઝેરી દવા પી લેતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.