માણાવદરમાં ભૂલથી ઉંદર મારવાની દવા પી જતા યુવાનનું મોત

જૂનાગઢ : માણાવદરના બાવાવાડીમાં રહેતા યુવાને ભૂલથી ઉંદર મારવાની દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

માણાવદરના બાવાવાડીમાં રહેતા રૂત્વીકભાઇ અજયભાઇ પરમાર ઉ.વ.૨૧ નામના યુવાને વહેલી સવારમાં પાણી પીવું હોય જેથી તેની બહેન પુજાને કહેલ કે મારે પાણી પીવુ છે તુ પાણી લઇ આવ જેથી બહેન રસોડામાં લાઇટ ચાલુ કર્યા વગર પાણીયારા ઉપર પાણી ભરેલ ગ્લાસ લઇ રૂત્વીકભાઇને આપેલ જેથી યુવાને એ પાણી પીધેલ હોય જેનાથી ઉલ્ટીઓ કરવા લાગેલ જેથી તેના ઘરનાં સભ્યો રસોડાની લાઇટ ચાલુ કરી જોતા પાણીયારા ઉપર ઉંદર મારવા માટે પાવડરની પડીકી તોડીને ગ્લાસમાં નાખેલ હોય અને જે પાણીનો ગ્લાસ યુવાને ભુલથી પી જતા સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.