કોરોના વિદાય સાથે જુનાગઢમાં આરોગ્ય રથમાં ઘટાડો

આજે પણ જૂનાગઢમાં કોરોના ગાયબ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે પણ કોરોના ગાયબ થઈ ગયો છે. આરોગ્ય વિભાગના સતાવાર સૂત્રો મુજબ આજે સમગ્ર જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. બીજી તરફ કોરોનાની વિદાય સાથે શહેર – જિલ્લામાં આરોગ્ય રથની સંખ્યા ઘટાડી નાખવામાં આવી છે અગાઉ 47ને સ્થાને આજે 19 ધનવંતરી રથ મારફતે 344 નાગરિકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. ઉપરાંત આજે જિલ્લામાં1351 નાગરિકોને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરાયા હતા.