જૂનાગઢમા કોરોના હાર્યો : આજે પણ શૂન્ય કેસ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોના વાયરસ હારી ગયો હોય તેવી સ્થિતિ વચ્ચે આજે પણ એકેય નવો કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગના સતાવાર સૂત્રો મુજબ આજે શહેર કે જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. જેથી હવે જૂનાગઢ જિલ્લો કોરોનામુક્ત થયો હોય તેવી પરિસ્થિતિ જોવા મળે છે. આજના દિવસે જૂનાગઢ જિલ્લામાં 3958 દર્દીઓની આરોગ્ય તપાસણી કરી સ્વાસ્થ્ય વર્ધક દવા આપવામાં આવી હતી અને કુલ 3725 દર્દીઓને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરાયા હતા.