જુના ઝઘડાનો ખાર રાખી પરિણીતા પર જ્વલનશીલ પ્રવાહી ફેંકી દીવાસળી ચાંપી દીધી

જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર ગીંતાજલી એપા.માં બનેલા બનાવમાં એક મહિલા સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર ગીંતાજલી એપા.માં જુના ઝઘડાનો ખાર રાખી પરિણીતા પર જ્વલનશીલ પદાર્થ ફેંકી દીવાસળી ચાંપી દીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પરિણીતા દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવ અંગે તેઓએ એક મહિલા સામે ફરિયાદ નોંધાવી છે.

જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત અનુસાર ફરિયાદી મહેમુદાબેન સુલેમાનભાઈ જીંદાલી (ઉ.વ.૪૮ રહે. ઝાંઝરડા રોડ સાઈબાંબા મંદીર વાળી ગલીમા મોટા મંદિર હવેલી રાધારમણ એ.પા. ની સામે ગીતાજંલી એપા.બ્લોક નં.૮ જુનાગઢ) એ આરોપી નયાનાબેન બળવંતરાય ગોંડલીયા (રહે. જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૫ના રોજ ઝાંઝરડા રોડ ગીંતાજલી એપા જુનાગઢ ખાતે બનેલા બનાવમાં ફરિયાદીને આરોપીએ અગાઉના ઝગડાનુ મનદુ:ખ રાખી ગાળો બોલી જલન પ્રવાહી પદાર્થ ફેકી દિવાસળી વડે આગ લગાવી ફરિયાદીને શરીરે દઝાડી દેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપી મહિલાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.