બમ બમ ભોલે ! જૂનાગઢ જિલ્લામાં કોરોના ગાયબ

શહેર – જિલ્લામાં આજે પણ શૂન્ય કેસ વચ્ચે 1 દર્દી સ્વસ્થ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં મહા શિવરાત્રીનો મેળો નજીક આવતા જ ભગવાન ભોલેનાથની કૃપા વરસતા આજે પણ કોરોના રાહત યથાવત રહેતા શહેર – જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. આજે જિલ્લામાં એક દર્દી સ્વસ્થ થતા રજા અપાઈ હતી.

જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગના સતાવાર સૂત્રો મુજબ આજે શહેર જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.બીજી તરફ છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં એક દર્દી સ્વસ્થ થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યુ છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને જિલ્લામાં 47 આરોગ્ય રથ મારફતે 4462 નાગરિકોને તપાસી આરોગ્યવર્ધક દવા આપવામાં આવી હતી. તેમજ શહેર અને ગ્રામ્યના મળી કુલ 1707 નાગરિકોને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરાયા હતા.