જૂનાગઢ મહાપાલિકા કર્મચારીનું અવશાન થતા આશ્રિતને 8 લાખની સહાય ચૂકવાઈ

મેયર ગીતાબેન એમ.પરમારના હસ્તે આશ્રિતને ચેક અપાયો

જૂનાગઢ : જૂનાગઢ મહાનગર પાલિકામાં કાયમી સફાઈ કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન અવસાન થતાં રાજ્ય સરકારની જોગવાઈ અન્વયે આશ્રિતને રૂપિયા 8 લાખની સહાયનો ચેક મેયરના હસ્તે અર્પણ કરાયો હતો.

જૂનાગઢ મહા નગરપાલિકાની હેલ્થ શાખામાં ફરજ બજાવતા કાયમી સફાઈ કર્મચારી(વર્ગ ૪) સ્વ.રમેશભાઈ બચુભાઈ જેઠવાનું ચાલુ ફરજ દરમ્યાન અવસાન થયેલ હોય સ્વ.રમેશભાઈ બચુભાઈ જેઠવાનાં વારસદાર ધર્મપત્ની ભગવતીબેન રમેશભાઈ જેઠવાને મેયર ગીતાબેન પરમારના હસ્તે રૂા.8 લાખના ચેક આપવામાં આવ્યો હતો.આ તકે સ્થાયી સમિતિ ચેરમેન હરેશભાઈ પરસાણા, શાશક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભા ઉપસ્થિત રહયા હતા.