જુનાગઢમાં શનિવારે અને રવિવારે બ્લડ ડોનેશન કેમ્પ

જુનાગઢ સિવિલ હોસ્પિટલ અને બાપા સીતારામ ગ્રુપ દ્વારા આયોજન

જુનાગઢ : જુનાગઢમાં જુનાગઢ સિવિલ હોસ્પિટલ અને બાપા સીતારામ ગ્રુપના સહકારથી શનિવાર અને રવિવારે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.

જુનાગઢમાં બ્રહ્મલીન વિશ્રંભર ભારતી બાપુના ષોડશી ભંડારા મહોત્સવ પ્રસંગે ભારતી આશ્રમ ખાતે હરિહરાનંદ ભારતી બાપુની પ્રેરણાથી અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને બાપા સીતારામ ગ્રુપના સહકારથી મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પ ભવનાથમાં ગીરનાર તળેટીમાં ભારતી આશ્રમ ખાતે તા. 26 અને 27ના સવારે 10થી 4 વાગ્યા સુધી યોજાશે. આ કેમ્પમાં એકઠું થયેલ બ્લડ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે જમા થશે.

આશ્રમના હરિહરાનંદ ભારતી બાપુની પ્રેરણાથી આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પમાં રજીસ્ટ્રેશન માટે આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુનો સંપર્ક તેમજ સંજય બુહેચા મો.નં. 98242 90483 પર વોટ્સએપ કરી શકાશે.