જૂનાગઢ જિલ્લામા આજે કોરોનામાં શૂન્ય

શહેર – જિલ્લાના કોરોનાના 3 દર્દીઓ સાજા નરવા થયા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં શરૂ થયેલી કોરોના રાહત આજે પણ યથાવત રહેતા શહેર – જિલ્લામાં આજે એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. આજે જિલ્લામાં ત્રણ દર્દીઓ સાજા થયા હતા.

જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગના સતાવાર સૂત્રો મુજબ આજે શહેર જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.બીજી તરફ છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં ત્રણ દર્દીઓ કોરોનાને હરાવી સાજા થતા તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યુ છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને જિલ્લામાં 47 આરોગ્ય રથ મારફતે 4555 નાગરિકોને તપાસી આરોગ્યવર્ધક દવા આપવામાં આવી હતી. તેમજ શહેર અને ગ્રામ્યના મળી કુલ 2376 નાગરિકોને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરાયા હતા.