વંથલીમાં શરદીને બદલે ભુલથી ધોકળ બાળવાની દવા પી જતા યુવાનનું મોત

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બાલોટ ગામે શરદીને બદલે ભુલથી ધોકળ બાળવાની દવા પી જતા યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર નાગજીભાઇ ભાણજીભાઇ સોલંકી (ઉવ.૨૧ રહે. બાલોટ) નામનો યુવાન શરદીની શીરપ પીવાના બદલે ભુલથી ધોકળ બાળવાની દવાની શીશીમાથી એક ઢાંકણુ પી જતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે