બાળક તોફાન કરતો હોવાથી ગુસ્સાના આવેગમાં માતાએ જાત જલાવી

બીલખાના રામેશ્વર ગામે પરિણીતાએ અગ્નિસ્નાન કરી લીધું

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના બીલખાના રામેશ્વર ગામે પરિણીતાએ અગ્નિસ્નાન કરીને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં બાળક તોફાન કરતો હોવાથી ગુસ્સાના આવેગમાં માતાએ જાત જલાવી લીધી હોવાનું બહાર આવ્યું છે.

બીલખા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ઉષાબેન રાજેશભાઇ પટોળીયા (ઉ.વ.૩૨, રહે.રામેશ્વર તાબે બીલખા) નામની પરિણીતાએ ગત તા.૧૧ના રોજ અગ્નિસ્નાન કરીને આપઘાત કરી લીધો હતો. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકને અવાર-નવાર ગુસ્સો આવતો હોય અને તેણીનો દિકરો શેમીલ તોફાન કરતો હોવાથી તેણીને ગુસ્સો આવતા તેના રૂમમા જઇ પોતે પોતાની મેળે શરીરે કેરોસીન છાંટી આગ લગાવી સળગી જતા શરીરે ગંભીર રીતે દાઝી જતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

?????????????????????????????????????????????????????????