વીસાવદરના સરસઇ ગામેં બાથરૂમમાં ન્હાવા ગયેલા યુવાનનું વિજશોકથી મોત

જૂનાગઢ : વીસાવદરના સરસઇ ગામેં બાથરૂમમાં ન્હાવા ગયેલા યુવાનનું વિજશોકથી મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મુકેશભાઇ ઘેલાભાઇ પરમાર (ઉ.વ.૪૦ રહે.સરસઇ, વિસાવદર) નામનો યુવાન ગઈકાલે પોતાના બાથરૂમમા નાહવા ગયેલ ત્યારે કોઇ પણ અગમ્ય કારણો સર બાથરૂમમા ઇલેક્ટ્રીક શોક લાગતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.