જુનાગઢમાં કાલે ગુરુવારે ભુદેવ સમાધાન પંચની સ્થાપના અને કાર્યાલયનો શુભારંભ

જૂનાગઢ : સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ (સંગઠન) જૂનાગઢના સંસ્થાપક જયદેવભાઈ જોશીની યાદી જણાવે છે કે, આવતીકાલે તા.૧૭ને ગુરુવારના રોજ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સ્થાપના દિને સાંજે ૬ કલાકે સમસ્ત બ્રહ્મસમાજ માટે ભુદેવ સમાધાન પંચની સ્થાપના અને તેની કાર્યાલયનો શુભારંભ કરવામાં આવનાર છે.

આ શુભારંભ પ્રસંગે જૂનાગઢના નામદાર ડિસ્ટ્રિક્ટ & સેસન્સ જજ બુખારી, તેમજ ભવનાથ સંત શિરોમણી શેરનાથ બાપુ તથા બ્રહ્મ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ (સંગઠન)ના ભુદેવ સમાજ માટેનાા આ ઐતિહાસિક કાર્યને શુભ સંદેશ પાઠવશે.

સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ (સંગઠન) દ્વારા જેબી કોપ્લેક્સ, હોટેલ સેફાયર ઉપર, એસટી બસ સ્ટેન્ડ બીજા ગેટ સામે, જૂનાગઢ ખાતે પ્રારંભ થઈ રહેલ ભુદેવ સમાધાન પંચના કાર્યાલયનું સંચાલન પ્રદીપભાઈ શુકલા, રમેશભાઇ મહેતા તથા ધનેશભાઈ રાજ્યગુરૂ સાંભળશે, જેનો કોઈપણ ભૂદેવ કે ભૂદેવ પરિવાર વિનામૂલ્યે લાભ લઈ શકાશે.