કેશોદમાં ઝેરી દવાના સેલ્ફોર્સ ટીકડા ખાઇ યુવાનનો આપઘાત

જૂનાગઢ : કેશોદમાં ઝેરી દવાના સેલ્ફોર્સ ટીકડા ખાઇ યુવાને કોઈ કારણોસર આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ બનાવની કેશોદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર જતીનભાઇ અમૃતલાલ મારૂ (રહે. મેઘના સોસાયટી કેશોદ) નામના યુવાને ગત તા.૧૮ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવાના સેલ્ફોર્સ ટીકડા ખાઇ લેતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.