વાડીએ ખુલ્લામા રાખેલ પાણી ખેંચવાનો પંપ તેમજ કેબલ વાયરના જથ્થાની ચોરી

વીસાવદરના ખજુરીયાના રસ્તે આવેલ વાડીમાંથી થયેલી ચોરીની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : વીસાવદરના ખજુરીયાના રસ્તે આવેલ વાડીમાંથી તસ્કરો ખુલ્લામા રાખેલ પાણી ખેંચવાનો પંપ તેમજ કેબલ વાયરના જથ્થાની ચોરી કરી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ખેડૂતે ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

વીસાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભરતભાઇ વિઠલભાઇ રીબડીયા (ઉ.વ ૬૫ રહે.જીવાપરા વિસાવાદર)એ અજાણ્યા ચોર ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૭ના રોજ વીસાવદર ખજુરીયાના રસ્તે આવેલ વાડીમાં તસ્કરો ત્રાટકયા હતા અને અજાણ્યા માણસોએ ફરીયાદીના વાડીએ ખુલ્લામા રાખેલ પાણી ખેંચવાનો પંપ ૧૫ના રોટરનો જેની કી.રૂ.૯૦૦૦ તથા કેબલ વાયર કાળા કલરનો ત્રાંબાના તાર વાળો આશરે સવાસો ફુટ મળી કુલ કી.રૂ.૧૭૦૦૦ ની ચોરી થયેલ તેમજ બાજુની વાડી વાળા સાહેદ ગોરધનભાઇ મનજીભાઇ રીબડીયાની વાડીમા આવેલ ઓરડીની ખુલ્લી ઓસરીમા બાચકામા રાખેલ કાળા કલરનો કેબલ વાયર ત્રાંબાનો આશરે ૨૫૦ ફુટ જેની કી.રૂ.૧૩૦૦૦ની ચોરી કરી ગયા હતા.