કરીયાવર બાબતે પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપ્યો

માળીયા હાટીનાના ભંડુરી ગામે બનેલા બનાવમાં પરિણીતાએ પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : માળીયા હાટીનાના ભંડુરી ગામે પરિણીતાએ પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે અને કરીયાવર બાબતે પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ભેસાણ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર પાર્વતીબેન ઉર્ફે પુજાબેન નિલેષભાઇ મકવાણા (ઉ.વ.૩૦ રહે.ભેસાણ પરબ રોડ જી.ઇ.બી. ઓફીસ પાસે જી.જુનાગઢ)એ આરોપીઓ નિલેષભાઇ વજુભાઇ મકવાણા, વજુભાઇ સોમાભાઇ મકવાણા, લીલાબેન વજુભાઇ મકવાણા, કુસુમબેન વજુભાઇ મકવાણા, હિતેશભાઇ વજુભાઇ મકવાણા (રહે.બધા ગામ ભંડુરી તા.માળીયા હાટીના), જેન્તીભાઇ સોમાભાઇ મકવાણા (રહે.મધુરમ જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓ ફરીયાદીના પતિ તથા સાસુ-સસરા,, નણંદ, દિયર તથા મોટા સસરા થતા હોય જેથી આરોપીઓ ફરીયાદીને અવાર નવાર કરીયાવર બાબતે મેણા ટોણા મારી શારીરીક તથા માનસીક દુ:ખ ત્રાસ આપી ગાળો આપી હતી.