પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ

હાલ કેશોદ રહેતી પરિણીતાએ તેના માણાવદર રહેતા પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : હાલ કેશોદ રહેતી પરિણીતાએ તેના માણાવદર રહેતા પતિ અને સાસરિયા સામે શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સવિતાબેન અનીલભાઇ મેવાડા (ઉ.વ.૨૫ રહે.હાલ પાડોદર તા.કેશોદ)એ આરોપીઓ પતિ અનીલભાઇ ઉકાભાઇ મેવાડા, સસરા ઉકાભાઇ મુંજાભાઇ મેવાડા, સાસુ પુરીબેન ઉકાભાઇ મેવાડા, નણંદ મંજુલાબેન ઉકાભાઇ મેવાડા, નણંદ ભાવનાબેન ઉકાભાઇ મેવાડા (રહે.બધા બામણવાડા તા.માંગરોળ), નણંદ લીલાબેન શૈલેષભાઇ મકવાણા (રહે.ભલગામ તા.માણાવદર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને આરોપીઓએ અવાર નવાર મેણા ટોણા મારી શારીરીક માનસીક દુખત્રાસ આપી જેમ ફાવે તેમ ગાળો આપી આરોપી પતિએ ફરીયાદીને શરીરે ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો.