તુ આ રસ્તે ચાલતો નહી કહી પિતા-પુત્રને માર મારી કારમાં તોડફોડ

કેશોદના ઇસરા ગામે મારામારીના બનાવમાં બે આરોપીઓ સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : કેશોદના ઇસરા ગામ પાસે તુ આ રસ્તે ચાલતો નહી તેમ કહી બે શખ્સોએ પિતા-પુત્રને માર મારી કારમાં તોડફોડ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં બે શખ્સો સામે હુમલો અને બાઇકમાં નુકશાનીની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અરશીભાઇ માધાભાઇ વાળા (ઉ.વ.૪૧ રહે.મુળ ગામ ઇસરા હાલ હાલ કેશોદ અજાબ રોડ સુધરાઇના કુવા પાસે)એ આરોપીઓ રાજેશભાઇ લાલજીભાઇ વાળા, વીજયભાઇ લાલજીભાઇ વાળા (રહે.બન્ને ઇસરા તા.કેશોદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદીને કહેલ કે તુ આ રસ્તે ચાલતો નહી તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી ફરીયાદીને તથા ફરીયાદીના દિકરાને શરીરે ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ તેમજ ફરીયાદીની ચેવરોલેટ કંપનીની બીટ ફોરવીલ કાર નં.GJ-27-C-1538 નો આગળનો કાચ તોડી જેમાં આશરે કિ.રૂ.૫૦૦૦ ની નુકશાન કર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.