જૂનાગઢના કાથરોટા ગામેં ધોરાજીના યુવાનનો આપઘાત

જૂનાગઢ : જૂનાગઢના કાથરોટા ગામેં ધોરાજીના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ બનાવની જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર સુનિલ ચંદુભાઇ મુછડીયા (ઉ.વ ૩૪ રહે. જમનાવડ તા.ધોરાજી) નામના યુવાને જૂનાગઢના કાથરોટા ગામેં ગત તા.૧૪ના રોજ કોઇપણ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.