વીસાવદરના લેરીયા ગામેં યુવાનનો ઝેરી દવા ગટગટાવી આપઘાત

જૂનાગઢ : વીસાવદરના લેરીયા ગામેં યુવાને કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી દીધો હોવાનું સામે આવ્યું છે. આ બનાવની વીસાવદર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર વીસાવદરના લેરીયા ગામેં રહેતા વિપુલભાઇ નાથાભાઇ મુંગલપરા (ઉ.વ.૩૦) નામના યુવાને ગત તા.૧૧ના રોજ કોઇપણ અગમ્ય કરણોસર ઝેરી દવા પી જતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.