ઇન્દ્રા ગામના યુવકનું જંતુનાશક દવાથી મોત

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ઇન્દ્રા ગામના યુવકનું જંતુનાશક દવાથી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

ઇન્દ્રા ગામમાં રહેતા 27 વર્ષીય મુકેશભાઇ જેન્તીભાઇ રાણવા ગત તા. 27ના રોજ પોતાના ભાગીયાની વાડીએ મગમાં જંતુનાશક દવાનો છંટંકાવ કરતા હતા ત્યારે રાત્રીના દવા ચડતા માથામાં દુ:ખાવો તથા પેટમાં બળતારા થતા પ્રથમ માણાવદર બાદ જુનાગઢ ત્યાંથી વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ગત તા. 3ના રોજ તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે ગઈકાલે માણાવદર પોલીસ મથકમાં અકસ્માતે મૃત્યુની નોંધ કરી કાર્યવાહી કરવામાં આવી છે.