હુમલાથી લાગી આવતા યુવાને ઓલઆઉટ મચ્છર મારવાનું લીકવીડ પીધું

ભવનાથ નજીક લગ્નેતર સબંધ મામલે પાંચ શખ્સોએ યુવાનને ઢીબી નાખ્યા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો

જૂનાગઢ : ભવનાથ નજીક લગ્નેતર સબંધ મામલે પાંચ શખ્સોએ યુવાનને ઢીબી નાખ્યા બાદ લાગી આવતા યુવાને ઓલઆઉટ મચ્છર મારવાનું લીકવીડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ બનાવમાં યુવાનનો આબાદ બચાવ થતા તેણે પાંચ શખ્સો સામે હુમલાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ભવનાથ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અફઝલભાઇ ઉર્ફે જીદૃદી કારાભાઇ સીડા (રહે. મધુરમ આલ્ફા સ્કુલની બાજુમા સફલ રેસીડેન્સી એપાર્ટમેન્ટ બીજા માળે બ્લોક નંબર ૨૦૧ મુળ ગામ ગલીયાવાડા તા.જી. જુનાગઢ)એ આરોપીઓ મીત સોંદરવા તથા અન્ય અજાણ્યા ચાર ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી મીત સોંદરવાને લગ્નેતર સંબંધ હોય અને તેને બ્લેક મેલ કરતો હોય જે મનદુઃખના કારણે બનાવ વખતે બનાવ સ્થળે આરોપી મીત સોંદરવા તથા તેની સાથેના ચાર અજાણ્યા ઇસમોએ ફોરવ્હીલમાં આવી ફરીયાદીને ગાળો કાઢી તેની I-20 ફોરવ્હીલ નંબર GJ-11-BR-3395 માં ફરીયાદીને બળજબરીથી બેસાડી નારાયણધરાના અંધારામાં લઇ જઇ ઢીંકાપાટુનો માર મારેલ હોય આથી ફરીયાદી ઓલઆઉટ મચ્છર મારવાનું લીકવીડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.