પરિણીતાને છૂટાછેડા નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરેથી કાઢી મૂકી

મુંબઈ પરણેલી અને હાલ જૂનાગઢ રહેતી પરિણીતાએ તેના પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : મુંબઈ પરણેલી અને હાલ જૂનાગઢ રહેતી પરિણીતાએ તેના પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પરિણીતાને છૂટાછેડા નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરેથી કાઢી મૂકી હતી.આથી પરિણીતાએ તેના પતિ અને સાસરિયા સામે શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ મહીલા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પુનમબેન દિપકભાઇ ઠાકર (રહે.રીવરવિલા સોસાયટી નવી આર.ટી.ઓ પાસે ખામધોળ રોડ કેબ્રીમ્જ સ્કુલ પાસે જુનાગઢ)એ આરોપીઓ દિપક દિનેશભાઇ ઠાકર (પતિ), દિનેશભાઇ નર્મદશંકર ઠાકર (સસરા), નિર્મલાબેન દીનેશભાઇ ઠાકર ( સાસુ -રહે હોટલ –વેસ્ટ ઇન હોટલ ગોરેગાઅવ ઇસ્ટ ઇંટરનેશંલ બિઝનેશ પાર્ક રોબોરોય ગાર્ડન સીટી યશોધામ ગોરેગાવ ઇસ્ટ મુંબઇ, પુનમ રાજભાઇ જૈન( નણંદ), રાજભાઇ જૈન (નણંદોયા રહે વાપી ઠે સનસીટી એ.મેન્ટ નામઢા ગામ પાસે વાપી), રક્ષાબેન અમીતભાઇ જોષી (નણંદ -મુ તલોદ જી અરવલ્લી ઠે જી.ઇ.બી ઓફિસ ની સામે સોસાયટી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી.પતિ સહિતના સાસરિયાઓએ ફરીયાદીબેનને લગ્ન ત્રણ-ચાર દિવસ બાદ કરીયાવર બાબતે મેણાટોણા મારી શારીરિક માનસીક દુખત્રાસ આપી છુટાછેડા નહી આપે તો જાન થી મારી નાખવાની ધમકી આપી તેમજ ઢોરમાર મારી ઘર માંથી પહેરેલ કાઢી મુકી હતી.