કેશોદ, માણાવદર, માંગરોળ અને ચોરવાડ નગરપાલિકા વિસ્તારમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

કેશોદ-માંગરોળના વોર્ડ ૧ થી ૫ અને માણાવદર-ચોરવાડના વોર્ડ ૧ થી ૭ નો સેવાસેતુ કાર્યક્રમનું આયોજન

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાની કેશોદ, માણાવદર, માંગરોળ અને ચોરવાડ નગરપાલિકાના ૧ થી ૫ અને ૧ થી ૭ વોર્ડનો સેવાસેતુ કાર્યક્રમ આગામી તા.૧૪/૫/૨૦૨૨ને સવારે ૯ કલાકથી યોજાશે. આ સેવાસેતુનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસરની અધ્યક્ષત્તામાં કેશોદ નગરપાલિકા, માણાવદર નગરપાલિકા, માંગરોળ નગરપાલિકા અને ચોરવાડ નગરપાલિકા કચેરી ખાતે ૧ થી ૫ અને ૧ થી ૭ વોર્ડનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં આધારકાર્ડ નોંધણી, માં અમૃતમકાર્ડ નોંધણી, સખીમંડળ, જનધન યોજના, મામલતદાર કચેરી દ્વારા રેશનકાર્ડમાં નામ ફેરફાર, આવકના દાખલા, જાતીના દાખલા, ઉજ્જવલા યોજના, જુદી-જુદી બેંકો દ્વારા ખાતા ખોલવા, વિજળીકરણ, સ્વરોજગાર યોજના, એસ.ટી. વિભાગ દ્વારા માસિક પાસ તથા ઓનલાઇન રીઝર્વેશન તેમજ ફરીયાદને લગતી સેવાઓના સ્ટોલ કાર્યરત કરવામાં આવશે અને વ્યક્તિલક્ષી રજૂઆત પણ ધ્યાને લઇ તેનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવશે તેમજ વિવિધ સહાય મેળવવા ઇચ્છતા લોકોએ પોતાના આધાર પૂરાવા સાથે હાજર રહેવા અધિક જિલ્લા કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.