જૂનાગઢના ગણેશનગરમાં ઓટા પરથી નીચે પડી જતા યુવાનનું મોત

જૂનાગઢ : જૂનાગઢના ગણેશનગરમાં ઓટા પરથી નીચે પડી જતા યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર નરેશભાઈ હરસુખભાઈ સોંલકી (ઉ.વ.૩૦, રહે.ગણેશનગર ગીરનાર દરવાજા પાસે જુનાગઢ) નામનો યુવાન ગણેશનગરમાં આવેલ તેમના સમાજના ઓટા પરથી પડી જતા તેમને માથામાં ગંભીર ઈજા થતા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવની પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.