માથે લાજ કાઢીને કેમ કામ કરતી નથી કહી પરિણીતાને ત્રાસ આપ્યો

ચોરવાડ ગામ ચીકુચોક પાસે બનેલા બનાવમાં પરિણીતાએ સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : ચોરવાડ ગામ ચીકુચોક પાસે રહેતી પરિણીતાને સાસરિયાએ
કહેલ કે તુ ઘરકામ કેમ વ્યવસ્થીત કરતી નથી અને માથે ઓઢીને લાજ કાઢીને કેમ કામક રતી નથી તેમ કહી શારીરિક માનસિક ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ચોરવાડ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રૂપાબેન રવિભાઇ પરમાર (ઉ.વ.૩૦ રહે.ચીકુચોક પાસે ચોરવાડ ગામ)એ આરોપીઓ સસરા ઇશ્વરભાઇ મોહનભાઇ પરમાર, નણંદ ભાવનાબેન,નણંદનો છોકરો અર્જુન સામે ફરિયાદ નોંધાવી હતી કે, એક આરોપી ફરીયાદીના સસરા થતા હોય અન્ય આરોપીઓ નણંદ અને નણંદનો દીકરો થતો હોય જેથી તેઓએ ફરીયાદીને કહેલ કે તુ ઘરકામ કેમ વ્યવસ્થીત કરતી નથી અને માથે ઓઢીને લાજ કાઢીને કેમ કામ કરતી નથી તેમ કહી ફરીયાદીને કહેલકે તુ તારા પીતાજીના ઘરેથી કાઇ લાવેલ નથી તેમ કહી ફરિયાદીને મેણાટોણા મારી અવારનવાર માનસીક તથા શારીરીક દુ:ખ ત્રાસ આપી ફરીયાદીને ઢીકાપાટુથી મારામારી કરી જેમફાવે તેમ બોલાચાલી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.