જૂનાગઢ : કેશોદ નજીક ટ્રેન હડફેટે યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની કેશોદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર કમલેશકુમાર વિનોદદાસ તતમાં (ઉ.વ.૨૪ રહે.સોદરડા નકલંક કારખાને તા.કેશોદ મુળ. મહથી ચંદોલી પી.એસ. બેંલચંદ જી.સીતામઢી ચંદોલી બિહાર રાજય) નામનો યુવાન કેશોદના સોદરડા ગામે ગત તા.૭ ના રોજ રાત્રીના નવ વાગ્યે કોઇને કહ્યા વગર નીકળી ગયેલ એ મોડે સુધી રુમે ન આવતા રેલ્વેના પાટા ઉપર ચેક કરતા રેલ્વેના પાટા ઉપર વચ્ચેના ભાગે કમલેશભાઇ ના પગ કપાઇ ગયેલ હાલતમાં પડેલ હતા અને તેના માથામાં પાછળના ભાગે તથા શરીર ઇજા ઓના નિશાનો હતા. આથી કાંઇ પણ કારણોસર અકસ્માત ટ્રેન નીચે કપાઇ જતા તેમનું મોત થયાનું પોલીસે તારણ દર્શાવી આગળની તપાસ હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
અમારા માટે તો દરેક દિવસ મધર્સ ડે ! જૂનાગઢમાં નિધન બાદ પ્રતિમા રૂપે માતાનો...
વડીલોને વૃદ્ધાશ્રમમાં તરછોડતા સંતાનોને સોનેરી સલાહ, માતા પિતાને કેમ છો પૂછશો તો પણ અનહદ ખુશી મળશે! જૂનાગઢ : માં વિના સુનો સંસાર... માં તે માં...
જૂનાગઢની દૂધ ઉત્પાદક મંડળીના પૂર્વ ચેરમેનના ગેર વહીવટ મામલે હાઇકોર્ટેમાં પિટિશન
બાલોટ મહિલા દૂધ ઉત્પાદક મંડળીના સદસ્યોએ પૂર્વ ચેરમેનના વહીવટી ગોટાળા સામે બંડ પોકારી હાઇકોર્ટેના દરવાજા ખટખટાવ્યા જૂનાગઢ : જૂનાગઢની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પૂર્વ ચેરમેનના...
બીજો ફેરો કરીશ તો જ પૈસા મળશે નહીતર પૈસા આપવા નથી કહી વાહન ચાલકને...
જૂનાગઢના GIDC -૨ માં અંજલીપાન વાળી શેરી થયેલી મારામારીમાં એક સામે ફરિયાદ જૂનાગઢ : જૂનાગઢના GIDC -૨ માં અંજલીપાન વાળી શેરીમાં ભંગારનો વાહનમાં ફેરો કરવા...