કેશોદ નજીક ટ્રેન હડફેટે યુવાનનું મોત

જૂનાગઢ : કેશોદ નજીક ટ્રેન હડફેટે યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની કેશોદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર કમલેશકુમાર વિનોદદાસ તતમાં (ઉ.વ.૨૪ રહે.સોદરડા નકલંક કારખાને તા.કેશોદ મુળ. મહથી ચંદોલી પી.એસ. બેંલચંદ જી.સીતામઢી ચંદોલી બિહાર રાજય) નામનો યુવાન કેશોદના સોદરડા ગામે ગત તા.૭ ના રોજ રાત્રીના નવ વાગ્યે કોઇને કહ્યા વગર નીકળી ગયેલ એ મોડે સુધી રુમે ન આવતા રેલ્વેના પાટા ઉપર ચેક કરતા રેલ્વેના પાટા ઉપર વચ્ચેના ભાગે કમલેશભાઇ ના પગ કપાઇ ગયેલ હાલતમાં પડેલ હતા અને તેના માથામાં પાછળના ભાગે તથા શરીર ઇજા ઓના નિશાનો હતા. આથી કાંઇ પણ કારણોસર અકસ્માત ટ્રેન નીચે કપાઇ જતા તેમનું મોત થયાનું પોલીસે તારણ દર્શાવી આગળની તપાસ હાથ ધરી છે.