વીસાવદરના દાદર ગીરમાં કોરોનાના હાઉને કારણે યુવાને જિંદગી ટૂંકાવી

અગાઉ કોરોના પોઝિટિવ આવ્યા બાદ માનસિક બીમાર થઈ જતા બીમારીથી કંટાળી યુવાને ફાંસો ખાધો

જૂનાગઢ : વીસાવદરના દાદર ગીરમાં કોરોનાના હાઉને કારણે યુવાને જિંદગી ટૂંકાવી હોવાનું સામે આવ્યું છે. જેમાં અગાઉ કોરોના પોઝિટિવ આવ્યા બાદ માનસિક બીમાર થઈ જતા બીમારીથી કંટાળી આ યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

વીસાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વીસાવદરના દાદર ગીરમાં દીનેશભાઇ કેશુભાઇ ખુંટ (ઉ.વ.૩૬) નામના યુવાને ગઈકાલે ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો. આ બનાવ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ મૃતક યુવાનને અગાઉ કોરોના થયેલ હોય જેથી માનસીક બીમાર રહેતો હોય અને રાત્રે નીંદર ન આવતી હોય જેથી માનસીક બીમારીથી કંટાળી જઇ પોતાની મેળે ગળાફાસો ખાઇ જતા તેનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે.