માણાવદરના નાનડીયા ગામેં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

જૂનાગઢ : માણાવદરના નાનડીયા ગામેં યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની માણાવદર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર પ્રવિણભાઇ છગનભાઇ પરમાર (ઉ.વ.૨૯ રહે. નાનડીયા તા. માણાવદર) નામના યુવાને ગઈકાલે કોઇપણ કારણસર પોતાની મેળે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ જતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી યુવાનના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.