માણાવદરમાં ખેતરમા કામ કરતી વખતે ટ્રેકટરમા અકસ્માત થતા શ્રમિકનું મોત

જૂનાગઢ : માણાવદરમાં ખેતરમા કામ કરતી વખતે ટ્રેકટરમા અકસ્માત થતા શ્રમિકનું મોત નીપજ્યું હતું.આ બનાવની માણાવદર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર સુરેશભાઇ ભીખાભાઇ સિંગલ (ઉ.વ.૪૦ રહે.વાડોદર ગામ તા.ધોરાજી જી.રાજકોટ) નામના શ્રમિક ગત તા.૨૩ એપ્રિલના રોજ માણાવદરના મીતડી ગામની સીમમાં મજુરી કામે ગયેલ હોય અને ખેતરમા કામ કરતા હોય તે દરમ્યાન ટ્રેકટરમા અકસ્માત થતા સારવાર અર્થે CHC માણાવદર બાદ વધુ સારવાર અર્થે જુનાગઢની હોસ્પીટલમા ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમ્યાન તેમનું ગત તા. ૩ ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.