જૂનાગઢ : માણાવદરમાં ખેતરમા કામ કરતી વખતે ટ્રેકટરમા અકસ્માત થતા શ્રમિકનું મોત નીપજ્યું હતું.આ બનાવની માણાવદર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર સુરેશભાઇ ભીખાભાઇ સિંગલ (ઉ.વ.૪૦ રહે.વાડોદર ગામ તા.ધોરાજી જી.રાજકોટ) નામના શ્રમિક ગત તા.૨૩ એપ્રિલના રોજ માણાવદરના મીતડી ગામની સીમમાં મજુરી કામે ગયેલ હોય અને ખેતરમા કામ કરતા હોય તે દરમ્યાન ટ્રેકટરમા અકસ્માત થતા સારવાર અર્થે CHC માણાવદર બાદ વધુ સારવાર અર્થે જુનાગઢની હોસ્પીટલમા ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમ્યાન તેમનું ગત તા. ૩ ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
જૂનાગઢમાં ઈલેકટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત
જૂનાગઢ : જૂનાગઢમાં ઈલેકટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની જૂનાગઢ એ ડીવીઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર જુનાગઢમાં રહેતા નિરવ દીલીપ...
જૂનાગઢના ઘાંચીપટ વિસ્તારમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
જૂનાગઢ : જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટાફે ગઈકાલે જૂનાગઢના ઘાંચીપટ વિસ્તારમાં ઈલ્યાસભાઈ કાસમભાઈ કચરાના મકાનની બાજુમા જાહેરમા સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમાતો હોવાની બાતમીના...
લાપતા હરિહરાનંદ બાપુ અંતે ભારતી આશ્રમેં પહોંચતા સેવકોને રાહત
મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુએ વર્ષ 2019માં વિશ્વમભરભારતી બાપુએ વિલ ફેરવી નાખ્યાનો આક્ષેપ કર્યો જૂનાગઢ : ભારતી આશ્રમના મહંત મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુ વડોદરા નજીકથી લાપતા બન્યા...