પિયરમા રીસામણે બેઠેલી પત્નીને તેડવા ગયેલા પતિને સાસરિયાએ ઢીબી નાખ્યો

જૂનાગઢના રાજીવનગર કર્મચારી સોસાયટી ખાતે બનેલા બનાવમાં જમાઈએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢના રાજીવનગર કર્મચારી સોસાયટી ખાતે પિયરમા રીસામણે બેઠેલી પત્નીને તેડવા ગયેલા પતિને સાસરિયાએ ઢીબી નાખ્યો હોવાનોનો બનાવ સામે આવ્યો છે. જેમાં સાસરિયાએ તેમની દીકરીને મોકલવાની ના પાડી જમાઈ ઉપર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ સી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી ભિમરાય ઉર્ફે ભરતભાઈ જેન્તિલાલ પરમાર (ઉ.વ.૨૯ રહે ઈવનગર રામાપિરના મંદીર પાછળ તા.જી જુનાગઢ)એ તેમના સાસરિયા માલીબેન વિરમભાઈ સોલંકી, ધિરેન વિરમભાઈ સોલંકી, કિર્તિબેન સુરેશભાઈ શિંગરખીય (રહે તમામ રાજીવનગર કર્મચારી સોસાયટી જુનાગઢ)ની સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીના પત્નિ હિનાબેન પોતાના પિયરમા રીસામણે ગયેલ હોય અને ફરીયાદી પોતાના સસરાના ઘરે જઈ પોતાના પત્નિ હિનાબેનને મનાવી તેડવા જતા આરોપીઓએ કહેલ કે, અમારે હિનાને નથી મોકલવી અને તુ અહીથી જતો રહે તેમ કહી ભુંડી ગળો આપી આરોપીએ ફરીયાદીને પ્લાસ્ટિકની નળી વડે તથા બીજા આરોપીએ લાકડાના ધોકા વડે તેમજ ત્રીજા આરોપીએ પ્લાસ્ટીકના પાઈપ વડે શરીરે આડેધડ માર મારી તેમજ ત્રણેય આરોપીઓએ ફરીયાદીને ઢીકા પાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી.