જૂનાગઢમાં દારૂડિયા પતિએ પત્નીએ માર મારી ત્રાસ આપ્યો

પત્નીએ તેના પતિ ઉપરાંત સાસરિયા સામે પણ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢમાં લગ્નના થોડા સમય બાદ પતિને દારૂ પીવાની ટેવ હોવાની ખબર પડતાં પતિ અને પત્ની વચ્ચે કજિયા કંકાસ થતા દારૂડિયા પતિએ પત્નીએ માર મારી ત્રાસ આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં પત્નીએ તેના પતિ ઉપરાંત સાસરિયા સામે પણ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

જૂનાગઢ મહીલા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હીનાબેન ભીમરાય ઉર્ફે ભરતભાઇ પરમાર (રહે કર્મચારી સોસા. બ્લોક નં. ૩ બીલખા રોડ જુનાગઢ)એ આરોપીઓ ભીમરાય ઉર્ફે ભરતભાઇ જેંતીભાઇ પરમાર (પતિ), લીલાબેન જેંતીભાઇ પરમાર (સાસુ), જેંતીભાઇ બધાભાઇ પરમાર (સસરા), ગુંજન ઉર્ફે સાગર જેંતીભાઇ પરમાર (દીયર), પુજાબેન ગુંજનભાઇ પરમાર (દેરાણી -રહે બધા રામાપીરના મંદીર પાસે નવી પ્લોટ શાળા ઇવનગર તા.જી.જુનાગઢ)ની સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી બેનને લગ્નના છ માસ બાદ ફરીયાદીના પતિને દારુ પીવાને ટેવ હોવાથી અવારનવાર તેણીને ગાળૉ આપી મારકુટ કરી તથા ફરીયાદીના સાસુ કરીયાવર બાબતે મેણાટોણા મારી શારીરીક માનશીક દુખત્રાસ આપી તેમજ ફરીયાદીના દીયર તથા સસરાએ ફરીયાદીને ગાળો આપી અને પતિ સાસુ અને દેરાણીએ મારકુટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.