દીકરાના મૃત્યુ મામલે પરિણીતાને મેણાટોણા મારી પતિએ માર માર્યો

હાલ માળીયા હાટીનામાં રહેતી પોરબંદરની પરિણીતાએ પતિ અને સસરા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : હાલ માળીયા હાટીનામાં રહેતી પોરબંદરની પરિણીતાએ પતિ અને સસરા સામે ફરિયાદ નોંધાવી છે. દીકરાના મૃત્યુ મામલે પરિણીતાને મેણાટોણા મારી પતિએ માર માર્યો હોવની તેમજ પતિ અને સસરાએ શારીરિક માનસિક ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

માળીયા હાટીના પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પ્રફુલાબેન ધરમેન્દ્રભાઇ પરમાર (ઉ.વ.૪૨ રહે.સનસીટી રામાપીર દ્વારની સામે મુળ ખાપડ તા જી પોરબંદર હાલ રહે જુથળ તા માળીયા હાટીના)એ તેના પતિ ધરમેન્દ્રભાઇ કરશનભાઇ પરમાર અને સસરા કરશનભાઇ જાદવભાઇ પરમાર (રહે.બન્ને ખાપડ સનસીટી રામાપીર દ્વારની સામે તા.પોરબંદર જી. પોરબંદર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી તેમના દીકરાના મૃત્યુ બાબતે મેણાટોણા બોલી તથા ઢીકાપાટુનો મુઢ માર મારી ફરીયાદીને અવાર-નવાર શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.