ખાંભા ગામે સાપ કરડી જતા મહિલાનું મોત

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના વીસાવદર તાલુકાના ખાંભા ગામે મહિલાને સાપ કરડી જતા તેનું મોત નીપજ્યું હતું.

ગત તા. 21ના રોજ મૂળ દાહોદના વતની હાલ ખાંભા ગીર ખાતે રહેતા 36 વર્ષીય રમીલાબેન શૈલેશભાઇ બારૈયાને ઝેરી સાપ કરડી ગયો હતો. આથી, તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું છે. આ બાબતે વીસાવદર પોલીસ મથકમાં અકસ્માતે મૃત્યુ નોંધ કરવામાં આવી છે.