સક્કરબાગ ઝુની અભ્યાસ મુલાકાત લેતી વન અને પર્યાવરણ સંસદિય સ્થાયી સમિતિ

સમિતિના ચેરમેન જયરામ રમેશ-સાસંદ પરિમલ નથવાણી સહિતના સાંસદોએ સક્કરબાગના તમામ વિભાગોનું કર્યુ તલસ્પર્શી નિરિક્ષણ

એશિયાઇ સિંહ માટેનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર

જૂનાગઢ : ગિરનારની પર્વતમાળાની નજીક ૮૪ હેક્ટરમાં પથરાયેલા જૂનાગઢ સ્થિત સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયની વન, પર્યાવરણ અને ટેક્નોલોજી વિભાગ સંબંધિત સંસદિય સ્થાયી સમિતિએ આજે અભ્યાસ મુલાકાત લીધી હતી.

આ સમિતિના ચેરમેન જયરામ રમેશ, રાજ્યસભાના સાંસદ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડાયરેકટર અને વન્યજીવ પ્રેમી પરિમલભાઇ નથવાણી, સાંસદ સાક્ષી મહારાજ વંદના ચાવન, નબમ રેબીયા, રજની પાટીલ, ગુહરામ અજગેલ, સુદર્શન ભગત, ડો.જયંતાકુમાર રોય, શ્રીરામ શીરોમણી વર્મા, જોગીની પાલી સંતોષ કુમાર, શ્રી કોથા પ્રભાકર રેડ્ડી સહિત સમિતિના સભ્યોએ સક્કરબાગના તમામ વિભાગની મુલાકાત લઇ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ અભિષેક કુમાર અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસેથી તલસ્પર્શી વિગતો મેળવી હતી.

૧૮૬૩ થી કાર્યરત સક્કરબાગ ઝૂ એશિયાઇ સિંહ માટેનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. અહીં એશિયાઇ સિંહ માટેનું એકમાત્ર બ્રિડીંગ સેન્ટર છે. તેમજ વર્ષ ૨૦૧૦ થી વલ્ચર બ્રિડીંગ સેન્ટર પણ અહીં શરૂ કરાયેલ છે. અહીં રાખવામાં આવેલ વન્યપ્રાણીઓ પક્ષીઓ, મગર સહિતના માટે ફાઇવસ્ટાર હોટેલમાં જેટલી વાનગીની જરૂર ના પડે તેનાથી વધુ વિવિધતા ધરાવતી વાનગીઓની આવશ્યકતા રહેશે.

વન્યપ્રાણીઓ માટે માંસાહાર, શાકાહાર, તૃણભક્ષી પ્રાણીઓ માટે ઘાસચારો, પક્ષીઓ માટે ફળ સહિત ખોરાક આપવામાં આવે છે.
સમિતિના સભ્યોએ સક્કરબાગમાં કાર્યરત અધ્યતન હોસ્પીટલ અને લેબોરેટરીનીની પણ મુલાકાત લઇ વન્યપ્રાણીઓ પક્ષીઓની ખોરાકની ટેવો તેમને અપાતો ખોરાકની ઝીણવટભરી માહિતી મેળવવા સાથે પ્રાણીઓની ગર્ભ અવસ્થામાં આપવામાં આવતા ખોરાકની પણ જાણકારી મેળવી હતી.
ઉનાળાની ગરમીમાં પ્રાણી-પક્ષીઓના રખ-રખાવ, શિયાળાની ઠંડીમાં અપાતા રક્ષણ સાથે સંવર્ધન સંરક્ષણ અને માવજત માટે ઝૂ ઓથોરીટી દ્વારા લેવાતી કાળજી અંગે પણ સમિતિના સભ્યો અવગત થયા હતા.ઉનાળામાં ગરમીથી રક્ષણ માટે સતત પાણીનો છંટકાવ, સિંહબાળ ના ઉછેર અને ખોરાક માટે લેવાતી વિશેષ કાળજીની પણ વિયતો સમીતિના સભ્યોએ મેળવી હતી.

સક્કરબાગ પ્રાણીસંગહાલયમાં નાશપ્રાય પ્રજાતિઓ વન્યપ્રાણી પક્ષીઓ જેવા કે, એશિયાઇ સિંહ, ભારતીય વરૂ, જંગલી ઘુડખર, ગીધ અને ચોશીંગાના કન્ઝર્વેશન અને બ્રિડીંગ સેન્ટરની સમિતિના સભ્યોએ મુલાકાત લીધી હતી.સક્કરબાગ ઝૂની મુલાકાત વેળાએ સમિતિના સભ્યોને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ વાસ્તવ, શર્મા, ડો.રમેશકુમાર, આરાધના શાહુ, ધીરજ મિતલ, ડો.સુનિલકુમાર બેરવાલ, અભિષેક કુમારે સક્કરબાગ તેમજ વન્યપ્રાણી સંબંધિ તલસ્પર્શી વિગતો આપી હતી.