જૂનાગઢમાં પરિણીતાએ એસિડ ગટગટાવી જીવન ટૂંકાવ્યું

જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં રહેતી પરિણીતાએ અજાણ્યા કારણોસર એસિડ ગટગટાવી જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

જૂનાગઢમાં દાણાપીઠ ભટ્ટ ખડખી નજીક ગોકુલેશ એપા.માં ત્રીજો માળે રહેતા 22 વર્ષીય રાધીકાબેન રોનકભાઈ સોલંકી એ ગત તા. 27ના રોજ સવારના 7 વાગ્યે તળાવ દરવાજા પાસે શેરી નં. 4, પારીતોષ એપા., પહેલો માળે પોતાની મેળે એસીડ પી ગયા હતા. આથી, તેમને જુનાગઢ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તા. 29ના રોજ તેમને મૃત્યુ થયું છે. હાલમાં જૂનાગઢ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી બનાવની તપાસ હાથ ધરવામાં આવી છે.