મેંદરડા પોલીસ સ્ટેશન ખાતેના 79 વાહનોની હરરાજી કરાઈ

સરકારને કુલ રૂ. 7,43,400ની આવક થશે

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે 79 વાહનોની હરરાજી કરવામાં આવી હતી. જેમાં સરકારને કુલ રૂ. 7,43,400ની આવક થશે.

જૂનાગઢ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુન્હાના કામે, ડિટેઇન કરેલા વાહનો, બિનવારસી કબજે કરવામાં આવેલ વાહનો ઘણા સમયથી કોઈ માલિક વાહન પરત લેવા માટે આવતા નથી તેમજ છોડાવવા પણ આવતા નથી. જેથી પોલીસ સ્ટેશનોમાં વાહનોનો ભરાવો થઈ જાય છે અને બિન ઉપયોગી બની જતા હોય છે. જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આવા એકત્રિત થયેલા વાહનોના નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે તમામ થાણા અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ છે.

જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝનના મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે કબજે કરવામાં આવેલ 79 વાહનો, જેમાં 75 મોટર સાયકલ, બે રીક્ષા, બે ફોર વ્હીલ બાબતે માલિકો દ્વારા પોતાના વાહનો છોડાવવા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ના હોય તેવા વાહનોના હરરાજીના હુકમો મેળવી, તમામ કાર્યવાહી પૂર્ણ કરી ગત રોજ તા. 30.04.2022 ના રોજ હરરાજી કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જે જાહેર હરરાજી દરમિયાન મેંદરડા પોલીસ સ્ટેશન ખાતેના 79 વાહનોની હરરાજી કરવામાં આવતા સૌથી વધુ બોલી વેપારી દ્વારા રૂ. 6,30,000/- બોલવામાં આવતા 18 ℅ GST મળી, કુલ આશરે રૂ. 7,43,400/- જેટલી રકમ સરકારમા જમા થશે.

જેથી, જૂનાગઢ ડિવિઝનના મેંદરડા પોલીસ સ્ટેશનો ખાતે કબજે કરવામાં આવેલ વાહનોની હરરાજીમા રસ ધરાવતા 32 જેટલા વેપારીઓએ ભાગ લીધેલ હતો અને જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એમ.મોરી, આરટીઓ એ.એસ.પ્રજાપતિ, મામલતદાર કચેરીના નાયબ મામલતદાર બી.એ.નાગ્રેચા, ઇન્ચાર્જ MTO જી.એસ.પટેલ, એકાઉન્ટ રાઇટર હેડ વાલીબેન, પો.કો. દિનેશભાઈ, સહિતની કમિટી દ્વારા મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે જુનાગઢ પોલીસ દ્વારા પ્રથમ વાર કુલ આશરે 79 વાહનોની જાહેર હરરાજી યોજી, કુલ આશરે સાડા સાત લાખ જેટલી કિંમત ઉપજેલ છે, જે સરકારમા જમા કરાવવા તજવીજ કરવામાં આવેલ છે. વાહનોની હરરાજી હે.કો. ભાવેશભાઈ, મનીષભાઈ, સાગરભાઈ સહિતના પોલીસ ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી. વાહનોની હરરાજી થતા, પોલીસ સ્ટેશનમાં ભંગાર થતા અને ભરાવો ઓછો થતા, રાહત પણ થશે.

જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આવા એકત્રિત થયેલા વાહનોના નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે તમામ થાણા અમાલદારોને સૂચનાઓ કરવામાં આવેલ છે. જે સૂચના આધારે પડતર વાહનોના નિકાલ કરવાની ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશન, સી ડિવિઝન પોલીસ સ્ટેશન, ભવનાથ પોલીસ સ્ટેશન, વિસાવદર પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, તાલુકા પોલીસ સ્ટેશન, બીલખા પોલીસ સ્ટેશન, ટ્રાફિક શાખા, તેમજ આજરોજ મેંદરડા પોલીસ સ્ટેશનમાં પડેલ જૂના કુલ 862 વાહનોની હરરાજી કરી કુલ રૂ. 56,32,660/- જીએસટી સહિત સરકારમાં જમાં કરાવવામાં આવેલ છે.

જૂનાગઢ જિલ્લાના બાકીના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં હરરાજીની કાર્યવાહી જેમ જેમ પૂર્ણ થતાં, હજુ બીજા પોલીસ સ્ટેશન ખાતે પણ પડેલા વાહનોની જાહેર હરરાજી યોજવામાં આવશે તેમજ આગામી તા. 05.05.2022 ના રોજ ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે વાહનોની હરરાજી યોજવામાં આવશે, તેવું જૂનાગઢ પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.