પ્રેમસંબંધમાં ઝઘડો થયા બાદ મહિલાને માર મારી ઘરમાં તોડફોડ કરતો પ્રેમી

જૂનાગઢના દોલતપરામા બનેલા બનાવમાં પ્રેમી સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં પ્રેમસંબંધમાં ઝઘડો થયા બાદ પ્રેમી ઉશ્કેરાઈને મહિલાને માર મારી ઘરમાં તોડફોડ કરી ઘરવખરીને નુકસાન પહોચાડ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે મહિલાએ આરોપી પ્રેમી સામે હુમલો અને ઘરવખરીને નુકસાન પહોચાડ્યું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ગીતાબેન મગનભાઇ મકવાણા (ઉ.વ.૪૫ રહે.વાણંદ સોસા હનુમાનદાદાના મંદીર પાસે હીરાબેનના મકાનમા ભાડે જૂનાગઢ)એ આરોપી કિરિટભાઇ ચંપકલાલ જયસ્વાલ (રહે.જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને આરોપી સાથે છેલ્લા ચારેક વર્ષથી પ્રેમ સબંધ હોય ઘણીવાર બન્ને વચ્ચે ઝઘડૉ થતો હોય ફરી દોલતપરામા શકભાજીનો ધંધો કરતા હોય એ દરમ્યાન આરોપી ત્યા આવેલ અને ફરીયાદીને કહેલ કે તારે શાક ભાજીનો ધંધો કરવો નથી મારી સાથે ચાલ જેથી ફરીયાદી તેની સાથે રીક્ષામા બેસી ગયેલ અને ફરીયાદીના ઘરે જઇ તેને સમજાવતા સમજેલ નહી અને ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી શરીરે મુંઢ ઇજાઓ કરી ગાળો બોલી ફરીયાદીના ઘરમા ટીવી અને માલસામાન તોડી નુકશાન કર્યું હતું.