માંગરોળમાં પતિના ત્રાસથી કંટાળી પત્નીએ ઝેરી દવા પીને જીવ દીધો

મૃતકના પરિવારજનની ફરિયાદના આધારે પતિ સામે મરવા મજુબર કર્યાનો ગુન્હો દાખલ

જૂનાગઢ : માંગરોળમાં પતિના ત્રાસથી કંટાળી પત્નીએ ઝેરી દવા પીને આયખું ટૂંકાવી લીધું હતું. આ બનાવની મૃતકના પરિવારજનની ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિ સામે મરવા મજુબર કર્યાનો ગુન્હો દાખલ કરી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

માંગરોળની છાપરા સોસાયટી પાસે રહેતી તુપ્તીબેન આશીષભાઇ જાદવ (ઉ.વ.૩૧) નામની પરિણીતાએ ગત તા.૨૮ના રોજ પોતાના ઘરે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના પરિવારજન ડેનીશભાઇ શાંતીલાલભાઇ પરમાર (ઉ.વ. ૩૫ રહે,કેશોદ પ્રજાપતી ધાર ધારેશ્વર મંદિર પાસે તા.કેશોદ જી.જુનાગઢ)એ આરોપી પતિ આશીષભાઇ રમેશભાઇ જાદવ (રહે,માંગરોળ ઠે.છાપરા સોસાયટી પાસે માંગરોળ જી.જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી પતિ તેમની પત્ની તુપ્તીબેન આશીષભાઇ જાદવને શારીરીક માનસીક દુખત્રાસ આપતા જે દુખત્રાસ સહન ન કરી શકતા ઝેરી દવા પી જતા તેણી આપધાત કરી લીધો હતો.